વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો દિલ્હી MCD ચૂંટણીમાં પરાજય, 15 વર્ષના શાસનનો અંત


  • Published By :
  • Published Date : 2022-12-07 17:25:19

આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશન પર કબજો જમાવી દીધો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આપે બહુમતીથી જીતી લીધી છે. દિલ્હી કોર્પોરેશન પર ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં અંતે આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ છે. 


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આપનો કબજો


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 250 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  જોકે, આપને કોર્પોરેશનની ચૂંટણીમાં 42 ટકાની આસપાસ મત મળ્યા છે. જેને વિધાનસભામાં 53 ટકા મત મળ્યા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે 11 ટકા મતદારો ક્યાં સરકી ગયા? 


AAPના નેતાઓએ શું કહ્યું?


આપની ભવ્ય જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીની જનતાએ 15 વર્ષના ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે તે માટે લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું."

બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. આ પહેલા સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કાર્યકારી @ArvindKejriwal જીને જીત અપાવી છે. અમારા માટે આ માત્ર જીત નથી પણ મોટી જવાબદારી છે.


તે જ રીતે, પંજાબના સીએમ ભગવંત માન આ પ્રસંગે ચપટી લેતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો ગઈ કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન થઈ શકે? ગુજરાતમાં તમને આવતીકાલે ચમત્કાર જોવા મળશે.



ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.