સરકારે મફતમાં કશું નથી આપ્યું તો પણ ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું કેમ?: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:56:04

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલન સંબોધિત કર્યું હતું. સંબોધન દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં ઓપરેશન લોટસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓના સ્થળોએ કેન્દ્રીય એજન્સીઓના દરોડા, રેવડી કલ્ચર, વિપક્ષી ભાજપ વગેરે મામલે વાત કરી હતી. 


કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, '26 નવેમ્બર 1949ના રોજ બંધારણીય સભાએ બંધારણ અપનાવેલું. 60 વર્ષમાં આ પાર્ટીઓ અને નેતાઓએ આ બંધારણના ચિંથરા ઉડાવી દીધા અને પછી ભગવાને વચ્ચે આવવું પડ્યું. તેના બિલકુલ 63 વર્ષો બાદ 26 નવમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટી બની. આજે 20 રાજ્યો અને યુનિયન ટેરીટરીમાં અમારા 1,446 જનપ્રતિનિધિ છે. MLA, MP, જિલ્લા પંચાયત સદસ્યો બધા જ છે.'


કેજરીવાલે તેને બીજ સમાન ગણાવીને આગળ જતાં વિશાળ વૃક્ષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં પણ તે વૃક્ષ સમાન વિશાળ સ્વરૂપ બનાવશે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, '1.5 વર્ષ પહેલા ગુજરાતમાં 27 બીજ રોપ્યા હતા. વિશ્વમાં કોઈ પાર્ટીનો આટલી ઝડપથી વિકાસ નથી થયો. કૃષ્ણને બાળપણમાં કાન્હા કહેતા હતા અને કાન્હાએ અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. અમે પણ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીનો વધ કરી રહ્યા છીએ. જો બીજી પાર્ટીના લોકો કશું કામ કરતા હોત તો લોકો અમને લાત મારીને બહાર ભગાડી દેતા.'


ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ AAPની તાકાત


કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આમ આદમી પાર્ટીની ચાર વાતો- ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ લોકોને પસંદ આવી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મફતની રેવડીને ભારતના રાજકારણમાં સામેલ કરી જે વિરોધીઓ ગળી પણ નથી શકતા અને બહાર પણ નથી કાઢી શકતા. વિરોધીઓ એમ કહે છે કે, તેનાથી સરકાર પર દેવું ચઢશે. ગુજરાત અને પંજાબ પર તો 3.5 લાખ કરોડનું દેવું છે. ત્યાંની સરકારોએ તો મફતમાં કશું નહોતું આપ્યું. દિલ્હીમાં બધું ફ્રી છે છતાં દેવું નથી. જે નેતા એમ કહે છે કે, મફતની રેવડી ન વહેંચવી જોઈએ તે બેઈમાન અને ભ્રષ્ટ છે. તેઓ સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને કચડી નાખવા ઈચ્છે છે. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.