Delhi CM અરવિંદ કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે? જેલવાસમાંથી નહીં મળે મુક્તિ, જાણો શા માટે જામીન પર મૂક્યો સ્ટે હાઈકોર્ટે?


  • Published By :
  • Published Date : 2024-06-21 16:30:26

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે . આ જામીન પર સ્ટે મુકવા બદલ એવો તર્ક આપ્યો છે કે , જ્યાં સુધી હાઈકૉર્ટમાં આ જામીન અરજીની સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ જ જામીન નહીં  મળે. 

નીચલી કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી જામીન! 

અરવિંદ કેજરીવાલ કે જેઓ ૮૧ દિવસથી જેલમાં છે , તેમની પર દિલ્હી લિકર પોલિસીના કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે ત્યારે ગઈકાલે રાઉસ એવલ્યુ કોર્ટ એટલે કે નીચલી અદાલત દ્વારા જામીન મળી ગયા હતા પણ હવે દિલ્હી હાઈકોર્ટે આ જામીન પર રોક લગાવી દીધા છે . એટલે કે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવવા હજી વધારે રાહ જોવી પડશે . 


અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફટકારવામાં આવી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેહલા ખુબ ઉત્સાહી હતા પણ હવે આ દિલ્હી હાઈકોર્ટે રોક લગાવતા નિરાશ થઈ ગયા છે. એવી update સામે આવી રહી છે કે ED  એટલે કે enforcment ડિરેક્ટોરેટએ અરવિંદ કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યા છે ત્યારે આ બેલ પર સુનાવણી ચાલુ છે . અને જ્યાં સુધી આ સુનાવણી પુરી નયી થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સ્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે . 



11 વાગ્યે સમાચાર સામે આવ્યા કે...   

વાત આખી એમ છે કે , ૨ જૂનના દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પાછાં સરેન્ડર થયા ત્યારે તેમણે પોતાના હેલ્થ ઈસ્યુના આધારે બેલ એપ્લિકેશન નાખી હતી . અને જ બેલ અરજી પર સુનાવણી કરતા rouse avenue કોર્ટના જજ દ્વારા ગઈકાલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. આ બાદ આજે ૧૧ વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી હાઈકોર્ટે બેલ પર રોક લગાવી દીધી છે. કારણ કે EDએ આ નીચલી અદાલતની જામીન અરજીને દિલ્હીની વડી અદાલતમાં પડકાર્યા છે.  જ્યાં સુધી હાઈ કોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી આ જામીન અરજી પર રોક રહેશે.



સંજય સિંહની સામે આવી પ્રતિક્રિયા

AAP નેતા સંજય સિંહનું એવું કેહવું છે કે જ્યાં સુધી નીચલી અદાલતનો આદેશ નથી આવ્યો તો ED ક્યાં આધારે દિલ્હી હાઈકૉર્ટમાં પહોંચી છે . હવે જોવાનું એ છે કે , દિલ્હી હાઈકૉર્ટમાં આજે સુનાવણી પછી શું થશે . હવે વાત કરીએ ED ની તો તેમણે સ્પેશ્યલ લિવ પિટિશન દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે , હાલમાં ખુબ મહત્વના મુદ્દાની તપાસ ચાલી રહી છે એટલે અરવિંદ કેજરીવાલને જામીન ના આપી શકાય. આ બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.