Delhi CM Arvind Kejriwalની વધી મુશ્કેલી, નોટિસ આપવા કેજરીવાલનેના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-03 13:09:13

દિલ્હીના મુખ્યમંત્રીને ગઈકાલે ઈડી સમક્ષ હાજર થવાનું હતું પૂછપરછ માટે. ઈડીએ તેમને પાંચ વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ દરેક વખતે તે નોટિસને ટાળી રહ્યા હતા. ગઈકાલે તેમને હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થયા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. મીડિયા રિપોર્ટના અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને ઘરે તેમને નોટિસ આપવા માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલે એવો બીજેપી પર એવો આરોપ લગાવ્યો હતો કે બીજેપી તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા માટે તેમના ઘરે પહોંચી હતી. 

ઈડીએ પાંચ વખત કેજરીવાલને મોકલી હતી નોટિસ! 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. ઈડીએ તેમને પાંચ વખત હાજર થવા સમન્સ મોકલ્યું હતું પરંતુ એક પણ વખત તે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટીને ડર હતોકે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલે પણ નોટિસને ગેરકાયદેસર અનેક વખત ગણાવી છે. 



ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી અરવિંદ કેજરીવાલના ઘરે!

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રાઈમ બ્રાન્ચ અરવિંદ કેજરીવાલના ઘરે નોટિસ આપવા માટે પહોંચી હતી. ભાજપ પર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. 7 વિધાયકોને ખરીદવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. 


દિલ્હી પોલીસ નોટિસ આપવા માટે ગયા હતા પરંતુ..... 

મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રીને નોટિસ આપવા માટે ગઈકાલે દિલ્હી પોલીસ ગઈ હતી પરંતુ મુખ્યમંત્રી તેમને મળવા ન આવ્યા હતા. અધિકારીઓ નોટિસ લેવાની જીદ કરવા લાગ્યા જેને કારણે પોલીસ ત્યાંથી જતી રહી. ત્યારે આજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ નોટિસ આપવા માટે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ અરવિંદ કેજરીવાલને જ આપશે તે વાત પર મક્કમ છે તેવી વાત સામે આવી છે. 

ભાજપ પર અરવિંદ કેજરીવાલે લગાવ્યો હતો આરોપ! 

ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ આરોપ લગાવ્યો હતો તે તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે તેમના ધારાસભ્યોને 25 કરોડની ઓફર કરી છે અને તેમને ટિકિટ આપવાની લાલચ પણ આપી છે. ત્યારે આ વાતને લઈ નોટિસ આપવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે