Delhiના CM Arvind Kejriwalને આ કારણોસર મળી શકે છે વચ્ચગાળાના જામીન, જાણો જામીનને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવી ટિપ્પણી?


  • Published By :
  • Published Date : 2024-05-03 18:38:58

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે... કથિત દારૂકૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તે હાલ તિહાડ જેલમાં છે.... એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે કેજરીવાલ દ્વારા જામીનની અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે સુનવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.

અરવિંદ કેજરીવાલને મળી શકે છે રાહત! 

અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીનની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીએ થોડી રાહત અનુભવી હશે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. જામીનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીને કહેવામાં આવ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચ્ચગાળાની જામીન આપવા માટે વિચાર કરી શકે છે... 


વચગાળાની જામીન આપવા કોર્ટ કરી શકે છે વિચાર 

જામીન આપવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે પરંતુ બંને પક્ષોને દલિલ માટે તૈયાર રાખવા કહ્યું છે.  મહત્વનું છે કે આ મામલે આગળની સુનાવણી મંગળવારે થવાની છે.. કોર્ટે કહ્યું કે આ મામલો લાંબો ચાલશે તો અમે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન માટે વિચાર કરીશું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.. અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં?  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!