Delhiના મુખ્યમંત્રી Arvind Kejriwalને ના મળી રાહત, 15 એપ્રિલ સુધી Judicial custodyમાં રખાશે, સાંભળો શું કહ્યું અરવિંદ કેજરીવાલે?


  • Published By :
  • Published Date : 2024-04-01 13:39:10

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની તકલીફ ઓછું થવાનું નામ નથી લઈ રહી પરંતુ મુશ્કેલી વધારે વધી રહી છે.. રાઉઝ એવન્યૂ કોર્ટમાં તેમને આજે હાજર કરવામાં આવ્યા હતા અને તેમની ન્યાયિક હિરાસતની અવધીને વધારવામાં આવી છે. 15 એપ્રિલ સુધી તે ન્યાયિક હિરાસતમાં રહેશે.. દિલ્હીના મુખ્યમંત્રીને તિહાડ જેલમાં રાખવામાં આવશે. ઈડીએ મુખ્યમંત્રીને તિહાડ જેલમાં રાખવા માટે અપીલ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી છે..

  

21 માર્ચે અરવિંદ કેજરીવાલની ઈડીએ કરી હતી ધરપકડ 

કથિત દારૂ કૌભાંડ મામલે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અનેક વખત પૂછપરછ માટે ઈડીએ સમન્સ તેમને પાઠવ્યું હતું પરંતુ તે હાજર થયા ન હતા જે બાદ ઈડી તેમના ઘરે પહોંચી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. જે વખતે તેમની ધરપકડ કરવામાં આવી તે વખતે તેમના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર હતા.. ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેજરીવાલને 15 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઈડીએ 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માગણી કરી હતી. 15 દિવસ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવશે. 

15 એપ્રિલ સુધી વધારવામાં આવી  Judicial custody!

રિમાન્ડની અવધી સોમવારે પૂર્ણ થઈ જવાની હતી અને જેને કારણે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ તેમને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જેમાં તેમના રિમાન્ડને 15 દિવસ વધારવામાં આવ્યા છે. રિમાન્ડ વધારીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માગ કરવામાં આવી હતી અને કોર્ટે આનો સ્વીકાર કરી લીધો છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેમના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે.    


ત્રણ પુસ્તક રાખવા માટે કોર્ટમાં કરવામાં આવી અપીલ 

મહત્વનું છે કે જ્યારે કોર્ટમાં તેમને હાજર થવા માટે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે પીએમ મોદી જે કંઈ પણ કરી રહ્યા છે તે બરાબર નથી કરી રહ્યા. મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલના વકીલે જેલની અંદર ત્રણ પુસ્તકો રાખવા માટે અપીલ કરી હતી. જેલમાં રાખવા માટે અરવિંદ કેજરીવાલે ભગવદ્ ગીતા, રામાયણની અપીલ કરી છે. તે ઉપરાંત કેજરીવાલે પત્રકાર નીરજા ચૌધરી દ્વારા લખવામાં આવેલી હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ પણ માગી છે. તે ઉપરાંત દવાઓ પણ રાખવા માટે અપીલ કરી છે.             



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.