દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયા ભાવુક! કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું ' આજે મનીષ જીની ખૂબ જ યાદ આવી રહી છે'


  • Published By :
  • Published Date : 2023-06-07 17:05:50

મનીષ સિસોદીયા ઘણા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામીન માટે અનેક વખત અરજી કરવામાં આવી છે પરંતુ તેમની અરજીને ખારિજ કરવામાં આવે છે. ત્યારે મનીષ સિસોદીયાને યાદ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા. કેજરીવાલની આંખો ભરાઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું આજે મને મનીષ સિસોદીયાની ઘણી યાદ આવે છે.

 


મનીષ સિસોદિયાને યાદ કરી કેજરીવાલ ભાવુક થયા! 

સ્ટેજ પર સંબોધન કરતી વખતે અનેક વખત નેતાઓ  ભાવુક થઈ જતા હોય છે. અચાનક તેમની આંખો ભરાઈ આવે છે અને તે રડવા લાગે છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને યાદ કરી રડવા લાગ્યા હતા. દરિયાપુર ગામમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સેલન્સના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને કેજરીવાલે યાદ કર્યા હતા. સંબોધન વખતે તેમણે કહ્યું કે આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. આ બધું તેમનું સપનું હતું. 


ભાજપની સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર!

સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્રાંતિનો અંત આવે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેની શરૂઆત મનીષજી દ્વારા કરવામાં આવી હતી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારૂં શિક્ષણ મળે. આવા સારા માણસને ભાજપ સરકારે જેલમાં ધકેલી દીધા છે. જો તેમણે સારી શાળાઓ ન બનાવી હોત, યોગ્ય શિક્ષણ ન આપ્યું હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી તિહાર જેલમાંથી બહાર આવશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!