દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયા ભાવુક! કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું ' આજે મનીષ જીની ખૂબ જ યાદ આવી રહી છે'


  • Published By :
  • Published Date : 2023-06-07 17:05:50

મનીષ સિસોદીયા ઘણા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામીન માટે અનેક વખત અરજી કરવામાં આવી છે પરંતુ તેમની અરજીને ખારિજ કરવામાં આવે છે. ત્યારે મનીષ સિસોદીયાને યાદ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા. કેજરીવાલની આંખો ભરાઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું આજે મને મનીષ સિસોદીયાની ઘણી યાદ આવે છે.

 


મનીષ સિસોદિયાને યાદ કરી કેજરીવાલ ભાવુક થયા! 

સ્ટેજ પર સંબોધન કરતી વખતે અનેક વખત નેતાઓ  ભાવુક થઈ જતા હોય છે. અચાનક તેમની આંખો ભરાઈ આવે છે અને તે રડવા લાગે છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને યાદ કરી રડવા લાગ્યા હતા. દરિયાપુર ગામમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સેલન્સના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને કેજરીવાલે યાદ કર્યા હતા. સંબોધન વખતે તેમણે કહ્યું કે આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. આ બધું તેમનું સપનું હતું. 


ભાજપની સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર!

સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્રાંતિનો અંત આવે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેની શરૂઆત મનીષજી દ્વારા કરવામાં આવી હતી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારૂં શિક્ષણ મળે. આવા સારા માણસને ભાજપ સરકારે જેલમાં ધકેલી દીધા છે. જો તેમણે સારી શાળાઓ ન બનાવી હોત, યોગ્ય શિક્ષણ ન આપ્યું હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી તિહાર જેલમાંથી બહાર આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.