કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, રાષ્ટ્રપતિએ સિસોદિયા અને જૈનનું રાજીનામું મંજૂર કર્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 18:15:52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે (7 માર્ચ, 2023) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સલાહ પર AAP ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેજરીવાલે તેમની કેબિનેટમાં નિમણૂક માટે આ બંને ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.


કોણ છે સૌરભ ભારદ્વાજ અને આતિશી?


સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તે મંત્રી હતા. જ્યારે કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેને ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


સિસોદિયા અને જૈનના બદલે મળ્યું સ્થાન


AAPના બીજા ક્રમના નેતા મનીષ સિસોદિયાને રવિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.