દિલ્હી: આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:51:39

બિલ્ડીંગ ઘરાશાઈ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેને કારણે જાનહાની પણ સર્જાતિ હોય છે. આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બની છે. નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડી જતા અનેક મજૂરો ઈજાગસ્ત થયા છે.

  

નિર્માણ પામેલી ઈમારત થઈ ઘરાશાઈ 

અનેક કારણો સર બિલ્ડીંગ ઘરાશાઈ થતી હોય છે. જર્જરિત ઈમારતો તો જર્જરિત થાય છે પરંતુ નિર્માણ પામી રહેલી ઈમારતો પણ ઘરાશાઈ થઈ જતી હોય છે. હાદસા દરમિયાન અનેક લોકોના જીવ પણ જતા હોય છે. નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં મજૂરો કામ કરતા ઘણી વખત ઘાયલ થતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી કન્ટ્રક્શન સાઈટ પર મજૂરો આપણ સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે દિલ્હીના આઝાદના શિશ મહેલ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડતા અનેક મજૂરો ફસાયા હતા જેમાંથી અમુક મજૂરોની હાલત ગંભીર છે. તમામ મજૂરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



સ્થાનિકોએ મહેકાવી માનવતા  

હાદસો થતા રેસ્ક્યું ટીમે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમની સાથે આવી મજૂરોનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો પણ આ કાર્યમાં જોડાતા માનવતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું.





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે