દિલ્હી: આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:51:39

બિલ્ડીંગ ઘરાશાઈ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેને કારણે જાનહાની પણ સર્જાતિ હોય છે. આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બની છે. નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડી જતા અનેક મજૂરો ઈજાગસ્ત થયા છે.

  

નિર્માણ પામેલી ઈમારત થઈ ઘરાશાઈ 

અનેક કારણો સર બિલ્ડીંગ ઘરાશાઈ થતી હોય છે. જર્જરિત ઈમારતો તો જર્જરિત થાય છે પરંતુ નિર્માણ પામી રહેલી ઈમારતો પણ ઘરાશાઈ થઈ જતી હોય છે. હાદસા દરમિયાન અનેક લોકોના જીવ પણ જતા હોય છે. નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં મજૂરો કામ કરતા ઘણી વખત ઘાયલ થતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી કન્ટ્રક્શન સાઈટ પર મજૂરો આપણ સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે દિલ્હીના આઝાદના શિશ મહેલ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડતા અનેક મજૂરો ફસાયા હતા જેમાંથી અમુક મજૂરોની હાલત ગંભીર છે. તમામ મજૂરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



સ્થાનિકોએ મહેકાવી માનવતા  

હાદસો થતા રેસ્ક્યું ટીમે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમની સાથે આવી મજૂરોનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો પણ આ કાર્યમાં જોડાતા માનવતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું.





નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.