Delhi : AAPના નેતાઓને ત્યાં EDની રેડ.... CM કેજરીવાલના PS બિભવ કુમાર સહિતના નેતાઓને ત્યાં ત્રાટકી ઈડી....


  • Published By :
  • Published Date : 2024-02-06 10:44:16

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ જ નથી લઈ રહી. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર થયા ન હતા. તે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી. તે બાદ આમ આદમી પાર્ટીના નેતા અતિશીને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે આજે 10થી વધારે જગ્યાઓ પર ઈડીએ રેડ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલગ અલગ નેતાઓને ત્યાં રેડ પાડી છે. કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમારને ત્યાં રેડ પાડવામાં આવી છે. 

કેજરીવાલના નિજી સચિવને ત્યાં ઈડીના દરોડા!

ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ તપાસ માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત ગયા ન હતા. તે બાદ અતિશીને નોટિસ આપવામાં આવી અને હવે અલગ અલગ મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ પહોંચી છે. અરવિંદ કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘર પર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે