Delhi : AAPના નેતાઓને ત્યાં EDની રેડ.... CM કેજરીવાલના PS બિભવ કુમાર સહિતના નેતાઓને ત્યાં ત્રાટકી ઈડી....


  • Published By :
  • Published Date : 2024-02-06 10:44:16

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ જ નથી લઈ રહી. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર થયા ન હતા. તે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી. તે બાદ આમ આદમી પાર્ટીના નેતા અતિશીને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે આજે 10થી વધારે જગ્યાઓ પર ઈડીએ રેડ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલગ અલગ નેતાઓને ત્યાં રેડ પાડી છે. કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમારને ત્યાં રેડ પાડવામાં આવી છે. 

કેજરીવાલના નિજી સચિવને ત્યાં ઈડીના દરોડા!

ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ તપાસ માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત ગયા ન હતા. તે બાદ અતિશીને નોટિસ આપવામાં આવી અને હવે અલગ અલગ મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ પહોંચી છે. અરવિંદ કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘર પર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.     




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.