Delhi : 12 વર્ષના માસૂમ છોકરાનું સિનિયર વિદ્યાર્થીઓએ એવી નિર્દયતાથી માર માર્યો કે બાળક મોતને ભેટ્યો, આ મામલે શું કહ્યું દિલ્હી સરકારે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-24 12:34:55

અનેક વખત આપણે રેગિંગના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. શાળામાં, હોસ્ટેલમાં તેમજ કોલેજમાં આવી ઘટનાએ સામાન્ય રીતે બનતી હોય છે જેમાં સિનિયર્સ જુનિયરને હેરાન કરે. આજે આવી જ કંઈક વાત કરવી છે જે દિલ્હીથી સામે આવી છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે સરકારી શાળામાં 12 વર્ષના એક વિદ્યાર્થીની મોત થઈ ગઈ કારણ કે તેને મારવામાં આવ્યો છે. બાળકના પરિવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે વિદ્યાર્થીના સિનિયરોએ તેને બહુ માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં એનું મોત થઈ ગયું.


12 વર્ષના બાળકને માર્યો ઢોર માર!

શાળામાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ત્યારે તે આશા સાથે જતો હોય છે કે તે ભણીને આગળ આવે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બને પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને તેમના સિનિયર્સ માનસિક ત્રાસ આપતા હોય છે કે તેમને માર મારતા હોય છે. આવા ત્રાસને કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોઈ છે ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની છે. 11 જાન્યુઆરીએ એક સરકારી શાળામાં અનેક સિનિયર વિદ્યાર્થીઓએ 12 વર્ષના જૂનિયર સ્ટૂડન્ટને માર માર્યો છે. એ હદે માર્યો કે તેનું મોત થઈ ગયું.


શું કહ્યું મૃતક વિદ્યાર્થીના પિતાએ?

મૃત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 11 જાન્યુઆરીએ રોજની જેમ સ્કૂલે ગયો જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને બેરહમીથી માર માર્યો. માર મારવાને કારણે તેને પગમાં વાગ્યું હતું. ઘરે આવીને તેણે પગમાં દુખાવા અંગેની વાત કરી. મેં તેને આ મામલે પૂછ્યું પરંતુ તેણે કઈ કહ્યું નહીં. પરંતુ તે બાદ આ ઘટના અંગે જાણ થઈ. 


ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર કરાવી  તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈ આરામ ન થયો પરંતુ તેની તબિયત ખરાબ થતી ગઈ. બીજી હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ 20 તારીખે તેની મોત થઈ ગઈ. પરિવારના સભ્યોએ આ મામલા અંગે પોલીસને જાણ કરી. પરિવારે એવું પણ કહ્યું કે અમે શાળાએ પણ ગયા હતા, આ ઘટના અંગેની જાણ પણ કરી હતી. સ્કૂલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ  હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 


દિલ્હી સરકારે આ મામલે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પરિવાર વાળાએ અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે દિલ્હી સરકાર તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેવી વાત પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે?             



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.