રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન થયા


  • Published By :
  • Published Date : 2023-04-20 14:44:10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હાલ તેમને તેમના નિવાસસ્થાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તબીબોની એક ટીમે તેમની તપાસ કરી છે, અને તેમને કેટલાક દિવસો માટે આરામ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.


તમામ કાર્યક્રમો રદ્દ


અત્રે ઉલ્લેખનિય છે કે રાજનાથ સિંહને આજે ગુરૂવારે જ ભારતીય હવાઈ દળ (એરફોર્સ)ની કમાન્ડર કોન્ફરન્સમાં જવાનું હતું, પરંતું તેઓ સંક્રમિત થતા હવે આ તેમનો આ સમગ્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.