અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ બાદ ભારતનો કોઈ જવાન શહીદ કે ઘાયલ થયો નથી: રાજનાથસિંહ


  • Published By :
  • Published Date : 2022-12-13 13:03:51

ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ થઈ હતી. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો હતો કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. જો કે બાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. 


રાજનાથસિંહે શું કહ્યું?


અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે રાજનાથસિંહે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સાંસદોને આશ્વસ્ત કરતા કહ્યું કે આપણો કોઈ સૈનિક શહીદ થયો નથી  કે ગંભીર રીતે ઘાયલ પણ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને આ પ્રકારની કાર્યવાહી નહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સરહદ પર શાંતિ જાળવવાનું પણ કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજનાથે વધુમાં કહ્યું હતું કે હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.