અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ બાદ ભારતનો કોઈ જવાન શહીદ કે ઘાયલ થયો નથી: રાજનાથસિંહ


  • Published By :
  • Published Date : 2022-12-13 13:03:51

ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ થઈ હતી. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો હતો કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. જો કે બાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. 


રાજનાથસિંહે શું કહ્યું?


અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે રાજનાથસિંહે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સાંસદોને આશ્વસ્ત કરતા કહ્યું કે આપણો કોઈ સૈનિક શહીદ થયો નથી  કે ગંભીર રીતે ઘાયલ પણ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને આ પ્રકારની કાર્યવાહી નહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સરહદ પર શાંતિ જાળવવાનું પણ કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજનાથે વધુમાં કહ્યું હતું કે હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.