મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ, 4 ઓગસ્ટએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-21 16:46:00

સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો છે. જો કે કોર્ટે તેમને માત્ર 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સ્તરે પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ મોકુફ કરવા યોગ્ય છે કે નહીં? આ કેસની સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા મોકુફીની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 


રાહુલ ગાંધીએ અરજીમાં શું દલીલ કરી હતી?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને દબાવી દેશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજનીતિમાં શુચિતા એ સમયની માગ છે. જનપ્રતિનિધિઓએ તેમની છબી સ્વચ્છ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સજા મોકુફીએ નિયમ નથી. જો કે તે એક અપવાદ છે. આને અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટિસ પ્રચ્છકે 125 પાનાના પોતાના ચુકાદામાં કહ્યું હતું  કે રાહુલ ગાંધી પહેલાથી દેશભરમાં 10 કેસનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતીમાં નિચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત, યોગ્ય અને કાનુની છે.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ  ગાંધીએ કહ્યું હતું કે 'કઈ રીતે તમામ ચોરોનું ઉપનામ મોદી છે?'  આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ નોંધ્યો હતો. રાહુલ સામે આઈપીસીની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાયો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!