Deepotsav : Social Media પર વાયરલ થયો બાળકોનો વીડિયો જેમાં દીવામાંથી બાળકો કાઢી રહ્યા છે તેલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 12:53:49

અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની પૂર્વ સંધ્યા પહેલા દિપોત્સવ મનાવવામાં આવ્યો. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. લાખો દીવાડાની રોશનીથી આખી અયોધ્યા ઝળહળી ઉઠી હતી. ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે જાકમજોળ અયોધ્યામાં કરવામાં આવી હતી તે દ્રશ્યો જોઈ અનેક લોકોની આંખો પહોંળી થઈ ગઈ હશે. પરંતુ ઉજવણી બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આંખોના ખુણા ભીના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાં વપરાયેલા તેલને ભરી રહ્યા છે. દીવામાં વપરાયેલા તેલથી તે બાળકોનો પરિવાર રસોઈ બનાવશે અને પોતાનું પેટ ભરશે. 

દિવાળી ઉજવણીના હતા મનમોહક દ્રશ્યો

દિવાળીના તહેવારની ઉજવણી આપણા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પરત ફર્યા હતા તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવ્યા હતા. અને ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડા પ્રગટાવવાની પરંપરા આપણે ત્યાં શરૂ થયું તેવું માનવામાં આવે છે. અનેક વર્ષો વીતિ ગયા પરંતુ આ તહેવારની ઉજવણી તેવી જ રીતે કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટાવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી દરેક જગ્યાએ ધામધૂમથી થતી હોય છે પરંતુ અયોધ્યા ખાતે કરવામાં આવતી આ પર્વની ઉજવણી અલગ જ હોય છે. લાખો દીવડાને પ્રગટાવવામાં આવે છે. તહેવારની ઉજવણીના દ્રશ્યો એટલા મનમોહક હોય છે એમ થાય કે આ દ્રશ્યો જોતા જ રહીએ! 


બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

દિપોત્સવની ઉજવણી તો ધામધૂમથી થઈ ગઈ પરંતુ તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઈમોશનલ કરી શકે તેવા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાંથી તેલ કાઢી રહ્યા છે પોતાના ઘરે લઈ જવા. આ તેલનો ઉપયોગ કરી તેમનો પરિવાર ખાવાનું ખાશે. આ તેલથી તે બાળકોનો પરિવાર આખું વર્ષ ગુજરાન ચલાવશે!



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.