Deepotsav : Social Media પર વાયરલ થયો બાળકોનો વીડિયો જેમાં દીવામાંથી બાળકો કાઢી રહ્યા છે તેલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 12:53:49

અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની પૂર્વ સંધ્યા પહેલા દિપોત્સવ મનાવવામાં આવ્યો. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. લાખો દીવાડાની રોશનીથી આખી અયોધ્યા ઝળહળી ઉઠી હતી. ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે જાકમજોળ અયોધ્યામાં કરવામાં આવી હતી તે દ્રશ્યો જોઈ અનેક લોકોની આંખો પહોંળી થઈ ગઈ હશે. પરંતુ ઉજવણી બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આંખોના ખુણા ભીના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાં વપરાયેલા તેલને ભરી રહ્યા છે. દીવામાં વપરાયેલા તેલથી તે બાળકોનો પરિવાર રસોઈ બનાવશે અને પોતાનું પેટ ભરશે. 

દિવાળી ઉજવણીના હતા મનમોહક દ્રશ્યો

દિવાળીના તહેવારની ઉજવણી આપણા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પરત ફર્યા હતા તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવ્યા હતા. અને ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડા પ્રગટાવવાની પરંપરા આપણે ત્યાં શરૂ થયું તેવું માનવામાં આવે છે. અનેક વર્ષો વીતિ ગયા પરંતુ આ તહેવારની ઉજવણી તેવી જ રીતે કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટાવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી દરેક જગ્યાએ ધામધૂમથી થતી હોય છે પરંતુ અયોધ્યા ખાતે કરવામાં આવતી આ પર્વની ઉજવણી અલગ જ હોય છે. લાખો દીવડાને પ્રગટાવવામાં આવે છે. તહેવારની ઉજવણીના દ્રશ્યો એટલા મનમોહક હોય છે એમ થાય કે આ દ્રશ્યો જોતા જ રહીએ! 


બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

દિપોત્સવની ઉજવણી તો ધામધૂમથી થઈ ગઈ પરંતુ તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઈમોશનલ કરી શકે તેવા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાંથી તેલ કાઢી રહ્યા છે પોતાના ઘરે લઈ જવા. આ તેલનો ઉપયોગ કરી તેમનો પરિવાર ખાવાનું ખાશે. આ તેલથી તે બાળકોનો પરિવાર આખું વર્ષ ગુજરાન ચલાવશે!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.