વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં બીજીવાર આગની ઘટના, કંપની સામે થયા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 20:58:36

વડોદરાના નંદેસરી વિસ્તારમાં છાણી રોડ પર આવેલી 50 વર્ષ જૂની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ નંદરેસરી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દીપક નાઈટ્રેટ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ કેમિકલનો કાચો માલ, એમોનિયા વગેરે રખાય છે. 


બીજીવાર આગની ઘટના


દીપક નાઈટ્રેટમાં આ બીજીવાર આગનો બનાવ બન્યો છે, આ ઘટનામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. જો કે એક સવાલ અહીં એ ઉઠે કે એક વાર બનેલી ઘટનાથી દીપક નાઈટ્રેટ કંપનીના ચેરમેન દીપક મેહતાએ કોઈ શીખ કેમ લીધી નહીં? દીપક નાઈટ્રેટ ખાલી વડોદરામાં જ નથી ઓપરેટ કરતી. દુનિયાના અનેક દેશોમાં પણ દીપક નાઈટ્રેટની સર્વિસ વિસ્તરેલી છે. કંપનીની વેબસાઈટમાં કંપની વિશે વન ઓફ ધ ફોર્ટી ગ્રુપ ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ વીથ રિસ્પોન્સિબલ કેર લખાયું છે. જો કે વિવિધ પ્રકારની 56થી વધુ સેવા આપતી દીપક નાઈટ્રેટને હાલ બીજી આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.


અગાઉ પણ બની હતી આગની ઘટના


દીપક નાઈટ્રેટ કંપનીમાં અગાઉ પણ જુન 2022માં બોઈલર ફાટવાની ઘટના બની હતી. તે વખતે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગ લાગતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ બનાવ્યો અને હેડ ઓફિસમાં મોકલાવ્યો હતો. પર્યાવરણને નુકસાન મામલે દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરાઈ હતી. 2022માં દીપક નાઈટ્રેટ કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પ્રોડક્શન બંધ કરાવ્યું હતું. વિસ્ફોટ થતાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ મંગાયા હતા. દીપક નાઈટ્રેટ જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લીધો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર આગ લાગવાની ઘટના પર તપાસ કરવા કંઈ કરશે કે નહીં તે જોવાનું રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.