ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava હજી જેલમાં રહેશે! જાણો શા માટે જામીન મળ્યા બાદ પણ નથી આવી રહ્યા જેલની બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:23:30

સોમવારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. જામીન માટે રાખવામાં આવી શરત અનુસાર તે નર્મદા જિલ્લાની હદમાં એન્ટર નહીં કરી શકે. ચૈતર વસાવાનો કેસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. આ શરતે જામીન તેમને આપવામાં આવી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કારણ કે તેમના પત્ની શકુન્તલાબેન વસાવાને જામીન નથી મળ્યા. સજોડે બહાર આવશે તેવી માહિતી સામે આવી છે જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં રહેશે. 


કોર્ટે ચૈતર વસાવાને આપ્યા હતા શરતી જામીન 

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. સોમવારે ધારાસભ્યને જામીન મળતા કાર્યકર્તાઓમાં આનંદ હતો, આદિવાસી સમાજના લોકોમાં પણ ઉત્સાહ હતો પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે જામીન મળવા છતાંય ચૈતર વસાવા બહાર નથી આવવાના. કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. શકુન્તલા વસાવા જેલમાં છે જેને કારણે ચૈતર વસાવા પણ જેલમાં જ રહેશે તેવી માહિતી સામે આવી છે. 


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન

જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે તેવી માહિતી સામે આવી છે. આવતીકાલે એટલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં શકુન્તલા બેન વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 40 દિવસ બાદ કોર્ટે શરતી જામીન આપ્યા છે. પરંતુ તે જેલની બહાર નહીં આવે કારણ કે તેમના પત્નીને જામીન મળ્યા નથી. ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન પણ જેલમાં બંધ છે અને તેમના જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.