Dediyapadaના MLA Chaitar Vasava Dahod પહોંચ્યા પીડિત પરીવારને મળીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-26 16:33:11

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.. મોડી રાત્રે પણ દીકરીઓ ઘરની બહાર નીકળી શકે છે.. પરંતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈ થાય કે દીકરીઓ હવે સુરક્ષિત નથી.. અનેક કિસ્સાઓ એવા છે જેમાં દીકરીની આસપાસના લોકો તેને હવસનો શિકાર બનાવે છે.. અનેક ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચાઓ થાય છે જ્યારે અનેક ઘટનાઓ એવી હોય જેની ચર્ચાઓ થતી હોય છે. તેમાની એક ઘટના છે દાહોદની ઘટના.. 6 વર્ષની બાળકીને તેની જ શાળાના આચાર્યે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરી બૂમો ના પાડે એટલા માટે આચાર્યે તેને મોતને ઘાટ ઉતારી દીધી.. 

જ્યારે જમાવટની ટીમ મૃતકના પરિવારને મળી હતી 

આ પરિવાર સાથે અનેક લોકોની સંવેદના છે.. બાળકીને ન્યાય મળે તેવી પરિવારજનોને આશા છે.. જમાવટની ટીમ જ્યારે મૃતક બાળકીના ઘરે ગઈ હતી ત્યારે તેના માતા પિતાએ એક જ વાત કરી હતી અમને ન્યાય જોઈએ.. આચાર્યને ફાંસી થવી જોઈએ તેવી તેમની માગ હતી.. મૃતકના પરિવારને મળવા માટે અલગ અલગ રાજનેતાઓ જઈ રહ્યા છે. ચૈતર વસાવાએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારને ન્યાય મળે તેવી વાત કરી હતી.. 


ભાજપ પર ચૈતર વસાવાએ સાધ્યું નિશાન 

નિવેદન આપતા એક વાત કરી જેની પણ ચર્ચા થઈ રહી છે.. નિવેદનમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વિશે ગુજરાતના અનેક મંત્રીઓએ ટ્વિટ કરી હતી પરંતુ દાહોદમાં બનેલી ઘટના વિશે વાત નથી કરી. ના તો ટ્વિટ કરી છે. મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી હતી, પરંતુ આ મુદ્દે તેમણે પણ ટ્વિટ નથી કરી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે