ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી, શું હતો સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2023-05-24 19:11:55

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે સમયે ચૈતર વસાવા BTPના યુવા નેતા હતા.


સમગ્ર  મામલો શું હતો?


ગત વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયાના અન્ય 6 સવારે માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા. એ સમયે ચૈતર વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાંઆવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે. તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. તેમની સાથેના ટોળાના માણસ હોય એમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.


સજા ભોગવવી પડશે નહીં 


ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 શ્ખ્સોને નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી, જજ આર.એન.જોશીએ ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. જો કે ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હતો.


આ લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ


ચૈતર વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત ના લોકોએ તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા. માર્કેટીંગની ઘીનૌની રીત કે સીધે સીધુ અપમાન?

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ઉત્સવે તો પ્રેક્ષકોના મનનો મોહી લીધા હતા. ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો હતો. લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ 'ગુજરાતી ઉત્સવ' યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?