ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ જેલમાંથી મોકલાવ્યો સંદેશ, સમર્થકોને જણાવ્યું કે તે ક્યારે જેલમાંથી આવશે બહાર?


  • Published By :
  • Published Date : 2024-01-29 15:11:39

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેમને શરતી જામીન મળ્યા છે પરંતુ તેમના પત્નીને જામીન નથી મળ્યા, પત્નીને જામીન ન મળવાને કારણે ચૈતર વસાવા જામીન મળ્યા બાદ પણ જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા હોય છે. જેલમાંથી તેમણે પોતાના સમર્થકોને સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે. આ બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા અઠવાડિયે જેલમાંથી બહાર આવી શકે છે. એવી માહિતી સામે આવી છે કે પહેલી તારીખે ચૈતર વસાવા બહાર આવી શકે છે. 

ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આની ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદ થોડા સમય માટે ધારાસભ્ય ફરાર થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તેમણે સરેન્ડર કર્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ ત્યાં હાજર હતા.


શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન!

જેલમાં રહીને ચૈતર વસાવાએ અનેક વખત સંદેશો મોકલાવ્યો છે. લોકસભા ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત જ્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે વખતે તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જેલમાં ચૈતર વસાવાની પત્ની પણ છે. ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. જામીન અંગેની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે. જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં છે. ચૈતર વસાવા અઠવાડિયામાં બહાર આવશે તેવી માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી છે. 


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાએ મોકલાવ્યો સંદેશ!

યુવરાજસિંહ ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા તે વખતે ચૈતર વસાવાએ તેમના સમર્થકોને સંદેશ આપ્યો છે. તેમણે સંદેશો મોકલાવ્યા હતા કે હું આવતા અઠવાડિયે જેલમાંથી બહાર આવું છું. તમે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં ચૈતર વસાવાના પત્નીએ તેમજ તેમના સમર્થકોએ રેલી કાઢી છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.