ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava આવ્યા જેલની બહાર, સમર્થકોએ કર્યું ધારાસભ્યનું સ્વાગત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-01 13:47:36

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા સમય પહેલા શરતી જામીન મળ્યા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા. શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને લઈ ચૈતર વસાવા પણ જેલમાં રહ્યા હતા. 40થી વધારે દિવસો સુધી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં રહ્યા હતા ત્યારે આજે તે જેલમુક્ત થયા છે. મોટી સંખ્યામાં ધારાસભ્યને લેવા માટે તેમના સમર્થકો જેલ બહાર આવ્યા હતા. ઈસુદાન ગઢવી પણ ડેડીયાપાડા હાજર હતા. 

 


ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકસભા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા. વનકર્મીને માર મારવા તેમજ હવામાં ફાયરિંગ કરવાનો ગુન્હો ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. 


ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિત સમર્થકો છે ઉપસ્થિત! 

ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી કેસ થયો ત્યારથી તે ફરાર હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તે હાજર થયા અને તે વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. થોડા દિવસો પહેલા ચૈતર વસાવાને જામીન મળી ગયા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને કારણે તે પણ જામીન મળવા છતાંય જેલમાં હતા. ચૈતર વસાવાના પત્નીના જામીન અંગેની અરજીની સુનાવણી આજે થવાની છે. આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. વર્ષા વસાવા, ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિત ચૈતર વસાવાના સમર્થકો ધારાસભ્યના સ્વાગત માટે હાજર હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.