ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાથમાં પાવડો લઈને નેશનલ હાઈવેના ખાડા પૂરવા પહોંચ્યા, જુવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-31 12:20:03

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા દેખાવવાની શરૂઆત થઈ જતી હોય છે. સામાન્ય વરસાદમાં કોઈ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તો કોઈ વખત મસમોટો ભૂવો પડેલો આપણને જોવા મળે છે. અનેક વખત ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળતું હોય છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે સામાન્ય નાગરિકો રોષે ભરાય છે. રસ્તા પર ખાડાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા નર્મદા જિલ્લાથી પસાર થતાં રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   

ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે પૂર્યા રસ્તા પરના ખાડા

રસ્તાની હાલત શું છે તે વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવો રસ્તો બન્યો હોત તો પણ તેમાં ખાડાઓ જોવા મળતા હોય છે. આપણી સામે એવા અનેક રસ્તાઓના દાખલા છે જેમાં રસ્તાઓ પર ખાડા વધારે અને સારો રસ્તો ઓછો દેખાય છે. રસ્તા પર પડતાં ખાડા તો સામાન્ય માણસને જ દેખાય છે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓેને, તેમના પ્રવક્તાઓને નથી દેખાતા. ખાડાને કારણે મુશ્કેલી પણ સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આપણે ત્યાં કહેવત છે કે અપના હાથ જગન્નાથ, અર્થાત બીજાના ભરોસે નહીં પરંતુ જાતે જ કામ કરી લેવાનું. ત્યારે આવું જ કંઈક ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે. રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવા ચૈતર વસાવાએ અને તેમની ટીમે હાથમાં પાવડો લીધો, અને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાનું કામ શરૂ કર્યું. 


જો રસ્તાની હાલત નહીં સુધરે તો....!

આ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાને કારણે રોડ પર ખાડા પડ્યા છે. સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન શરૂ કરાયું છે, પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. મહત્વનું છે કે મોટા મોટા શહેરો પણ ખાડાથી બાકાત નથી. મેટ્રો શહેરોના રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ખાડા તો હોય જ છે પરંતુ અનેક વખત મસમોટા ભૂવા પણ પડતા હોય છે જેને કારણે સામાન્ય માણસને આવનજાવનમાં બહું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.