અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો કરવામાં આવ્યો નિર્ણય, બાળકોની પૂરતી સંખ્યા ના હોવાથી લેવાયો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-08-02 13:14:18

બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે.. બાળકો આગળ વધશે તો સમાજ આગળ વધશે.. અને સમાજ આગળ વધશે તો દેશ આગળ વધશે... અનેક  શાળાઓ એવી છે જ્યાં આજે પણ એક જ શિક્ષક છે.. અરવલ્લીથી સમાચાર સામે આવ્યા જેમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં ના હતા. શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, ખરાબ લાગશે પરંતુ આ કડવી વાસ્તવિક્તા છે.. 

અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓ કરવામાં આવી બંધ!

ગામડાઓના બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકને કારણે ચાલી રહી છે.. અનેક ગામોમાં શાળાઓ બંધ કરવામાં આવી. 20થી ઓછા વિદ્યાર્થીઓ હતી તેવી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસાના સાકરીયા કંપા,કરશનપુરા કંપા, મુન્શીવાડામાં ધો 1થી 5 વર્ગ બંધ કરવામાં આવ્યા છે. બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયા શાળા બંધ કરવામાં આવી છે.. 


સરકારી શાળામાં શું કામ ભણવા નથી આવતા બાળકો? 

તે ઉપરાંત માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ કરવામાં આવી છે. ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આજે એવી અનેક સરકારી શાળાઓ હશે જે રામ ભરોસે ચાલતી હશે.. ગામડાઓમાં બાળકો તો હોય છે પરંતુ સરકારી શાળામાં ભણવા માટે બાળકો આવતા નથી. શું એટલી ખરાબ હાલત થઈ જઈ છે સરકારી શાળાની કે લોકો પોતાના બાળકોને ત્યાં ભણાવાનું પસંદ નથી કરતા..  


બાળકોના અભાવથી કરવામાં આવી શાળાને બંધ!

મહત્વનું છે કે જ્યારે કોઈ પણ શાળા બંધ થાય છે ત્યારે ત્યાં ભણતા બાળકોનો વિદ્યાભ્યાસ બંધ થાય છે.. આગળ વધવાની તકો બંધ થાય છે. સવાલ થાય કે સરકારી શાળામાં સુવિધાઓ ના મળતી હોવાથી લોકો પ્રાઈવેટ શાળામાં જવાનું પસંદ કરે છે? મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .