ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક, હજી સુધી આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ, પીએમએ શોક વ્યક્ત કરો, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-03 12:19:03

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં 238 જેટલા  લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. 650 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ મુલાકાત પણ લીધી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર ઘાયલ લોકો માટે લોહી આપવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે.

     

રેલવે મંત્રાલય દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની સહાય આપવામાં આવશે. તે સિવાય પીએમઓ ઓફિસ દ્વારા પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને બે લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર આપવામાં આવશે. 


રેલવે મંત્રીના રાજીનામાની કરવામાં આવી માગ!

રેલવે દુર્ઘટના બાદ રાજકીય પાર્ટીઓ તેમજ રાજનેતાઓ દ્વારા શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે રેલવે મંત્રીએ શનિવાર સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના  અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. આ ઘટનાને લઈ ઓડિશાના મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.

અનેક કાર્યક્રમોમાં કરાયો ફેરફાર!

દુર્ઘટનાને પગલે અનેક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ઓડિશા સરકારે એક દિવસ રાજ્ય શોક જાહેર કર્યો છે. તે સિવાય ગોવા-મુબંઈ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી બતાવાના હતા. આ ઘટનાને પગલે આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને ઉતારી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ થઈ રહી છે.    



ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.