કેન્દ્ર સરકારની સુપ્રીમમાં મોટી જાહેરાત, ફાંસીની સજાને બદલે મોતની ઓછી પીડાદાયક પધ્ધતી અપનાવાશે


  • Published By :
  • Published Date : 2023-05-02 14:45:44

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે ફાંસીની સજાને મૃત્યુદંડમાં ફેરવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રએ કહ્યું કે તે આ માટે નિષ્ણાતોની સમિતિની રચના પર પણ વિચાર કરી રહી છે, જે મૃત્યુદંડ આપવાની હાલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરશે.


ઉનાળું વેકેશન પછી થશે સુનાવણી


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીની આ રજૂઆતની નોંધ લીધી હતી. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને તેઓ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગતો આપશે. આ અંગે બેંચે કહ્યું, કે "એટર્ની જનરલે સમિતિમાં નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ઉનાળાની રજાઓ પછી તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ આપીશું."


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માગ્યા હતા સુચનો


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 21 માર્ચે કહ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા પર વિચાર કરી શકે છે. આના પર કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે ફાંસીની સજાને બદલે મૃત્યુની કેટલીક ઓછી પીડાદાયક રીત પર વિચાર કરવો જરૂરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.