બ્રેકિંગ: ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 23:18:38

ભરૂચ જિલ્લાના કેલોદ પાસે ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કેલોદ રોડ ઉપર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે સર્જાયો છે. આગંભીર અકસ્માત ભરૂચ નજીક સર્જાયો હતો. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 


નોકરીથી ફરતા યુવાનોને નડ્યો અકસ્માત 


ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર બનેલી આ ગંભીર ઘટનામાં ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત  નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો. કારમાં 4 થી 5 લોકો સવાર હતા, કારના પતરાં ચીરી કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. કારમાં સવાર લોકો પૈકી મોટાભાગના મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયુ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.