Gujaratમાં Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraનો બીજો દિવસ, દાહોદ અને પંચમહાલમાં ફરશે યાત્રા. જાણો શું છે આજનો રૂટ?


  • Published By :
  • Published Date : 2024-03-08 11:36:14

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને હાલ આ યાત્રા ગુજરાતમાં છે. ગઈકાલે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં આ યાત્રાનો પ્રવેશ થયો અને આજે અને આવતી કાલ સુધી આ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. અલગ અલગ જગ્યાઓ પર રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવશે, અનેક જગ્યાઓ પર પદયાત્રા રાહુલ ગાંધી કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેન્ડથી સરકાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. 


શું રહેશે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ?  

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ ગઈકાલે થઈ ગયો હતો. આજે ગુજરાતમાં આ યાત્રાનો બીજો દિવસ છે. વિવિધ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી પરંતુ આ વખતે રાહુલ ગાંધી ગાડીમાં ફરી રહ્યા છે, અનેક જગ્યાઓ પર જ માત્ર પદયાત્રા તેઓ કરી રહ્યા છે. ત્યારે આજે આ યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે.લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા પહોંચશે. ગોધરામાં બેઠક બાદ હાલોલ જવા રવાના થશે. ન્યાય યાત્રા હાલોલથી પાવાગઢ જશે. પાવાગઢથી શિવરાજપુર અને ત્યાંથી જાંબુઘોડા પહોંચશે. અને રાત્રી રોકાણના વ્યવસ્થા બોડેલી ખાતે કરવામાં આવી છે. 

અનેક મુદ્દાઓને લઈ પીએમ મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!

10 માર્ચ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં રહેશે. ગઈકાલે જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી, બેરોજગારી તેમજ અદાણી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. આદિવાસીઓને લઈ રામ મંદિરને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના 2-4 ટકા લોકોને બધું ધન આપવામાં આવી રહ્યું છે. હું 4000 કિલોમીટર ચાલ્યો. ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. બીજો મુદ્દો મોંઘવારી. તમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું. રાષ્ટ્રપતિ આદિવાસી છે, તેમનો ચહેરો તમે ટીવી પર જોયો? એક દલિત, ખેડૂત જોયો તમે? આવી રાજનીતિ થઈ રહી છે. એટલે અમે ભારત જોડો યાત્રા કરી. 

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ કર્યું હતું રાહુલ ગાંધીનું સ્વાગત! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર લડશે જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. ગઠબંધન થયા બાદ એવું લાગતું હતું કે આપ પણ આ યાત્રામાં જોડાશે. તે બાદ સમાચાર આવ્યા કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે અને ગઈકાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ત્યારે તેમને આવકારવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા. ત્યારે આવનાર દિવસમાં ચૈતર વસાવા પણ આ યાત્રામાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.