સાળંગપુર વિવાદમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ બળતામાં ઘી હોમ્યું, આપ્યું આ ઉશ્કેરણીજનક નિવેદન


  • Published By :
  • Published Date : 2023-09-04 15:41:56

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં તૈયાર કરવામાં આવેલા શિલ્પ ચિત્રોને લઈને ઉભો થયેલો વિવાદ દિન પ્રતિ દિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના અનેક ધાર્મિક સંગઠનો, ધર્મગુરુઓ અને સંતો દ્વારા આ ભીંતચિત્રોમાં હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે વડોદરામાં હરીભક્તોની સભામાં દર્શન સ્વામીના તા. 3-9-2023ના રોજના એક વીડિયોએ ઘી હોમવાનું કામ કર્યું છે. દર્શન સ્વામીનો આ વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું કહ્યું છે દર્શન સ્વામીએ? 


વડોદરામાં ગરુકુલ ખાતે દર્શન સ્વામી હરીભક્તોને સંબોધતા દર્શન સ્વામી જણાવી રહ્યા છે કે, "તમને કોઇની બીક તો નથી ને સાહેબ ગગનના તારા જેટલા શત્રુ હોય કે કદાચ બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ  સર્વ અવતારી ભગવાન સ્વામીનારાયણની સામે આવી જાય તો પણ સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે છે અને છે જ આમાં કોઈને રંજ માત્ર સંદેહ ન હોવો જોઈએ  અને કોઈ પણ  પાજીપાલવના વચનોમાં ક્યારેય કોઈએ દબાવવું પણ ન જોઇએ, સાહેબ આપણા ઉદરનો રોટલો આપણા સ્વામિનારાયણ ભગવાન ભરે છે આપણને અક્ષરધામમાં લઈ જનારો આપણો ભગવાન છે આપણાં ભગવાનને કોઈ એમ કહે એ મોચી છે  તો આ તો કદી શાખી લેવાનું નહીં, મિત્રો કોઈથી દબાવાનું નહીં આ તો લોકશાહી છે દુનિયામાં જે લોકો પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક ચાંદલા અને ચોટલી રાખીએ છીએ તમારા કરતાં પહેલા અમે સનાતની છીએ એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા ના કરો ચાર ચાર રાતથી ઊંઘ નથી આવતી "


જ્યોતિર્નાથ બાબાએ આપ્યો આ જવાબ


દર્શન સ્વામીનો વાઈરલ વીડિયો અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકાતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઊતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઊતરીશું. વધુમાં ડો. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઊભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મિટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!