વર્ષ 2023 માટે ખતરનાક આગાહી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:32:57

જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિષ્યવક્તા મનમાં આવે ત્યારે એક જ નામ સામે આવે નાસ્ત્રેદમસન ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ખૂબ જ પ્રખ્યાત છે અને અત્યાર સુધીમાં તેની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. 1566માં પોતાના મૃત્યુ પહેલા નાસ્ત્રેદમસે 6338 ભવિષ્યવાણીઓ લખી હતી, જેમાં તેમણે મંગળ પર મનુષ્યોના આગમનને લઈને વિશ્વના અંત વિશે જણાવ્યું હતું.

 નાસ્ત્રેદમસની આગાહી

નાસ્ત્રેદમસે અલગ અલગ વર્ષો માટે અલગ અલગ આગાહી કરી છે. તેમજ તેમણે વર્ષ 2023 માટે ખતરનાખ આગાહી કરી છે. જો નાસ્ત્રેદમસની વાત કરીએ તો તેમનો જન્મ  14 ડિસેમ્બર, 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ, 1566ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11ના આતંકી હુમલા અને ફ્રાંસની ક્રાંતિ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. 

મનુષ્ય મૂકશે મંગળગ્રહ પર પગ !!! 

નાસ્ત્રેદમસે પણ મંગળ વિશે આગાહી કરી હતી અને કહ્યું હતું કે મનુષ્ય આ લાલ ગ્રહ પર ક્યારે પગ મૂકશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ મનુષ્યને મંગળ ગ્રહ પર લાવવા સાથે જોડાયેલા મિશનને વર્ષ 2023માં મોટી સફળતા મળી શકે છે.નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, એલોન મસ્ક વર્ષ 2023 માં મંગળ સાથે સંબંધિત એક મિશનની જાહેરાત કરી શકે છે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી 

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં 2023માં થયેલા મહાયુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "સાત મહિનાનું મહાયુદ્ધ, ખરાબ કર્મોથી મૃત્યુ પામશે લોકો." કેટલાક કહે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 2023 સુધીમાં ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે