ચક્રવાત મિચૌંગથી જોખમ વધ્યું, તમિલનાડુ-આધ્રપ્રદેશમાં ભારે વરસાદ, 54 ટ્રેન રદ્દ


  • Published By :
  • Published Date : 2023-12-03 17:08:11

દેશના પૂર્વ ભાગ પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આ તોફાની ચક્રવાત મિચૌંગ વાવાઝોડ઼ામાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું 5 ડિસેમ્બરના બપોર સુધી દક્ષિણ આંધ્ર્ પ્રદેશ અને તેની આસપાસ તથા પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 5 ડિસેમ્બર સુધી નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ તટને પાર કરશે. 


24 કલાકમાં ભયાનક અસર


વાવાઝાડાની મહત્તમ ગતિ 80-90 પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની હશે. હવામાન વિભાગની આગાહી છે કે મિચૌંગ ચક્રવાતના કારણે તમિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ, અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર ધોધમાર વરસાદની આગાહી છે. 


પૂર્વી તટની 54 ટ્રેન રદ્દ


ચક્રવાત મિચૌંગથી ઉભા થયેલા જોખમના કારણે પૂર્વીય  તટની 54 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પૂર્વીય ઝોનથી પસાર થનારી એક્સપ્રેસ, મેલ, સ્પેશિયલ ટ્રેન સહિતની ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તે જ પ્રકારે દક્ષિણ પૂર્વ રેલ્વેની હાવડા-ચેન્નઈ મેલ સહિત ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમણે કહ્યું રદ્ થનારી હાવડા-એસએમવીટી (બેંગલુરૂ) અને હટિયા-એસએમવીટી (બેંગલુરૂ) એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.