અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનો હુંકાર, 'જ્ઞાનવાપી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:45:45

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર તથા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે દસ્ક્રોઇના પાલડી-કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો-મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમે સંતોએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.


દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ પ્રસ્તાવમાં અયોધ્યા, કાશી અને મથુરા એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ કપટ કર્યું નથી. અમે ભારતીય સંવિધાનમાં આસ્થા વ્યક્ત કરીને આગળ વધી રહ્યા છીએ. કોર્ટ મારફત તો જવાબ એને દેવો પડશે. 1993માં જ્ઞાનવાપીમાં પૂજારીને ધમકી આપીને પૂજા બંધ કરાવી હતી. જે લોકોએ પૂજા બંધ કરાવી તેમાં જિલ્લા જજે એવું પૂછ્યું કે, પૂજા કેમ બંધ થઈ? જ્ઞાનવાપી મસ્જિદની ચારેય બાજુ બેરિકેટ છે એનો લેખિત ઓર્ડર કયાં છે? કોના આદેશથી બેરિકેટ કરવામાં આવી છે.  બેરિકેટ કે પૂજા બંધ કરવાનો ઓર્ડર તેમની પાસે નથી. આથી છળ તો તેઓએ કર્યું છે અને જવાબ પણ એ લોકોએ દેવો પડી રહ્યો છે. જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા અમને મળશે જ મળશે. સાથોસાથ ગુજરાતમાં નિર્ણય એવો પણ કર્યો કે, લાંબા સમયથી અને જૂના મંદિરો બંધ છે તેનો જીર્ણોદ્ધાર થાય અને લોકો મંદિરમાં જાય. અમારે જ તેની રક્ષા કરવાની છે. એક દિવસ ગામના લોકો સાથે મંદિરને સ્વચ્છ કરી પૂજા કરાવવાની છે.


ગોપાલદાસજી મહારાજે ઔવેસી પર કર્યા પ્રહાર 

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગોપાલદાસજી મહારાજે સંતોને સંબોધતા અસદુદ્દિન ઔવૈસીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે 'મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.' તે ઉપરાંત તેમણે કહ્યું કે જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો બનાવીએ છીએ એમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે એટલે સંતોની જવાબદારી છે કે બધા મંદિરોનો જર્ણોદ્ધાર, સ્વચ્છ કરવામાં આવે. લોકોને મંદિર તરફ વાળે. કારણ કે, મંદિરો આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .