'સાહેબ અમને દાળવડા મંગાવવાની મંજુરી આપો' રાજ્યવેરા કમિશનરને લખાયેલો પત્ર વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-08 18:09:54

અમદાવાદ શહેરના સરકારી કાર્યાલયથી વિચિત્ર પણ જબરદસ્ત પત્ર વાયરલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. હાલ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને વર્ગ 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મગાવવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે કે અમને બહારથી દાળવડા નથી મગાવવા દેવામાં આવતા અમારે તો દાળવડા ખાવા છે. અમને પરવાનગી આપો. જોવા જેવી વાત તો એ છે કે નીચે 11 સરકારી કર્મચારીએ સહી પણ કરી છે. લેટર વિચિત્ર હોવાના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજામાં વેરા વિભાગની કચેરી આવેલી છે. જ્યાંના કર્મચારીઓએ જ આવી અરજી કરી છે. તેમણે કહ્યું છે કે અમારા સાહેબ મનોજભાઈ બોરિયા, હર્ષદ ડી સોલંકી અને ધ્રુવ દેસાઈએ અમને ઓફિસમાં બહારથી નાસ્તો લઈ આવવાની મનાઈ કરી છે. હાલ તો આ પત્રને લઈ અનેક લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું લખ્યું છે આ પત્રમાં?


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને ક્લાસ-2ના અધિકારીઓ અને ક્લાસ-3ના તમામ કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી લેવા માટે પરમિશન લેટર લખી મંજૂરી માંગી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે,આપે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઇ બોરીયા તથા સિનીયર કારકુન હર્ષદ ડી.સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઇને તેઓની ચેમ્બરમાં રુબરૂ બોલાવી એવું કહેલ કે, ઓફિસ માં કોઇ પણ નાસ્તો બહારથી મંગાવવો હશે તો મારી એટલે કે સહાયક રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની પરમીશન લેવી પડશે,જો એમ કરવામાં નહિ આવે તો તમામ સ્ટાફ વિરુધ્ધ પગલાં લેવામાં આવશે. આપની ઉક્ત આપેલ મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઇ પરમીશન આપવા વિનંતી છે.


પત્રમાં 11 કર્મચારીએ કરી છે સહી


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. આ અરજીની નકલ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ – 1 અમદાવાદ અને નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ – 1 અમદાવાદ ખાતે પણ મોકલવામાં આવી છે. તેમાં 11 જેટલા કર્મચારીઓએ તેમની સહી પણ કરી છે.  


અગાઉ પાટણ DEOનો પત્ર થયો હતો વાયરલ  


સરકારી કર્મચારીઓના વિચિત્ર પત્રો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા હોય છે. ગયા વર્ષે પાટણ શિક્ષણાધીકારીએ જિલ્લાની તમામ સ્કૂલને એક વિચિત્ર પત્ર લખ્યો હતો જે પણ વાયરલ થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વિવિધ યોજનાથી વિદ્યાર્થીઓને સહાય આપતી હોય છે. તો ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સહાય આપવા માટે આભાર કહેતો પત્ર લખો અને બંને સામે કૃતજ્ઞતા વ્યક્ત કરે. ઉલ્લેખનિય છે કે આ પત્ર પણ પાટણ જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ખૂબ જ વાયરલ થયો હતો. બે ઘડી વિચાર કરો ભારતનું બંધારણ અનુચ્છેદ 21 એ મુજબ 6થી 14 વર્ષના છોકરાઓને ફરજિયાત ભણાવવામાં આવે એવો અધિકાર આપે છે. ધોરણ 9 પછીનાનો અહીં કોઈ ઉલ્લેખ નથી અને તેમ છતાં પણ ભણાવવામાં આવે તો એનો પત્ર થોડો લખવાનો હોય. એ તો કોઈ પણ જવાબદાર સરકારની પ્રાથમિક ફરજ હોય છે કે તેના લોકોને ફરજિયાત સરસ આરોગ્ય, શિક્ષણ વગેરે મળે, એમાં થેંક્યૂ કહેવાનો સવાલ જ નથી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!