વર્ષ 2018થી દલિતો પર હુમલાના લગભગ 1,89,000 કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર


  • Published By :
  • Published Date : 2023-03-23 14:35:23

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓથી પણ વાતને સમર્થન મળે છે. સરકારે સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રિય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 4 વર્ષમાં દલિત સમુદાય સામેના ગુનાના લગભગ 1,89,945 કેસ નોંધાયા છે.


BSPના સાંસદે કર્યો હતો સવાલ


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ ગિરીશ ચંદ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ગિરીશ ચંદ્રએ 2018થી દલિતો પર હુમલાની ઘટનાઓના આંકડાઓ માંગ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું આવી ઘટનાઓ પર નજર રાખવા માટે કોઈ તંત્ર છે? તે અંગે મિશ્રાએ કહ્યું કે NCRB દ્વારા તેના પ્રકાશન 'ક્રાઈમ ઈન ઈન્ડિયા'માં ગુનાઓ પર આંકડાકીય માહિતીનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે, તેણે એક રિપોર્ટ બનાવ્યો હતો જે 2021માં પ્રકાશિત થયો હતો અને આંકડા આ સંદર્ભમાં હતો.


SCઅને STની સુરક્ષા માટે કેન્દ્રએ આપી છે એડવાઈઝરી


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે પોલીસ અને જાહેર વ્યવસ્થાની બાબતો સંપૂર્ણપણે રાજ્ય સરકારના શાસન હેઠળ આવે છે, તેમ છતાં, MHA (ગૃહમંત્રાલયે) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ના અસરકારક અમલીકરણ માટે સમય સમય પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.