Amreliના બગોયામાં દલિતના બનાવમાં પોલીસે શું બેદરકારી રાખી હતી? સમગ્ર મામલો ખરેખર શું હતો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-01 22:36:08

સાવરકુંડલાના બગોયામાં એક દલિત યુવાનની હત્યા કરી દીધી હોય તેવો બનાવ સામે આવ્યો છે અને સમાચારમાં ચાલ્યું પણ ખરા,.. જ્યારે અમે આ મામલે તપાસ કરી તો સામે કંઈક અલગ જ વસ્તુ નજર આવી, કારણ કે જે રીતે કહેવામાં આવ્યું કે આ હત્યા છે તો તે હત્યા ન હતી, તેમના પરિવારના અંગત દ્વેશમાં જ આ કૃત્ય થયું હોય શકે તેવી માહિતી સામે આવી છે, શું દલિત હત્યાકાંડ કરીને જે વીડિયો આપણી સામે આવ્યા છે તે ખરેખર હત્યા છે કે બીજુ કંઈ છે..., ખરેખર જે થયું છે તે જે દેખાઈ રહ્યું છે તેનાથી કેમ અલગ છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા છે, તેમાં બગોયાના વિડીયો બાદ હડકંપ મચી ગયો હતો. આ વીડિયો પહેલા તેમણે અમરેલી જિલ્લાના પોલીસ વડા સાથે વાત કરી હતી, જેનો ઓડિયો પણ હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે. 


જિલ્લાના પોલીસ વડાએ જમાવટને શું કહ્યું?


આ મામલે સત્યની ચકાસણી કરવા માટે જમાવટે અમરેલી જિલ્લા પોલીસ વડા સાથે વાત કરી હતી પણ તેમના મારફતે જમાવટને જે જાણવા મળ્યું તે કંઈક અલગ જ હતું. એસપીએ જમાવ્યું કે પહેલીવાત તો આ કોઈ હત્યા નથી. તેમનું મોત અન્ય કારણોથી દવા પીવાથી થયું છે. તેમની કોઈએ હત્યા નથી કરી. અમે પૂછ્યું કે જે ઓડિયો સામે આવ્યો એ તમારો જ છે કે નહીં ત્યારે જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે ઓડિયો મારો જ છે અને મૃતક વ્યક્તિએ મારી સાથે જ વાત કરી હતી. જ્યારે તેમણે કહ્યું હતું કે મારી હત્યા થવાની છે ત્યારે અમે તેમની મદદ માટે પોલીસની ટીમ પણ મોકલાવી હતી. કંઈ ના થયું તો તેણે જિલ્લાના બીજા પોલીસ અધિકારીઓને પણ કરવાનું શરૂ કરી દીધું તો ફરી લગભગ ચારેકવાર પોલીસની ટીમ તેમની રક્ષા કરવા માટે મોકલવામાં આવી હતી. પોલીસે આ વ્યક્તિની પૂછપરછ કરાવી હતી ત્યારે જાણવા મલ્યું હતું કે અરવિંદ પરમાર નામનો યુવક માનસિક રીતે પીડિત હતો. તે બીમાર હતા તેવું તેમના જ પરિવારે પોલીસને જણાવ્યું હતું. 


 પોલીસ સામે ઉઠ્યા સવાલ


જો કે આજથી વર્ષ પહેલા જ્યારે અરવિંદ પરમારનું નિધન થયું ત્યારે પોલીસે જણાવ્યું હતું કે કોઈ પર શંકા વગેરે અને કેસ કરવાનું પૂછ્યું તો અરવિંદ પરમારના પરિવારે કહ્યું હતું કે ના અમારે કોઈ કેસ કરવો નથી. આવું થયા બાદ અરવિંદ પરમારની દફન વિધિ કરી દેવામાં આવી હતી. જો કે પોલીસે એવું કહી રહી છે કે તે એકદમ નિર્દોષ છે તેમણે કશું જ નથી કર્યું તો જ્યારે અરવિંદ પરમાર નામના યુવકનું મોત થઈ જાય છે તો તેની નોંધ પોલીસ ચોપડે કેમ નથી લેવામાં આવી. સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં કોઈ આવી રીતે બનાવ બને તો પોલીસ પોતાની યાદગીરી માટે તેની નોંધ લેતી હોય છે પણ આ કેસમાં કંઈ નોંધવામાં નથી આવ્યું. પોલીસે પોસ્ટ મોર્ટમ પણ નથી કરાવ્યું જે પણ શંકા કરાવે છે કે શું ખરેખર અરવિંદ પરમાર સાથે કંઈ ખોટું થયું હતું કે નહીં. સામાન્ય રીતે પોલીસને મૃત્યુ થાય તો કોઈ ખોટું નથી થયું તેના માટે પોસ્ટ મોર્ટમ કરાવવું જરૂરી છે. પણ જો કંઈ ખોટું નથી થયું તો અરવિંદ પરમારનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું અને કેમ તેમને પરિવારને સોંપીને સીધી દફનવિધિ કરી દેવામાં આવી. આ ઘટના ઘણા બધા સવાલો ઉભા કરે છે.


અરવિંદ પરમારની હત્યા હતી કે આત્મહત્યા? 


ટૂંકમાં જે રીતે આ કેસને દેખાડવામાં આવી રહ્યો છે કે જિલ્લા પોલીસ વડાએ કોઈ મદદ નથી કરી તેના કારણે આ હત્યા થઈ છે તો એ મુજબ આ બધી વાતો ખોટી હોઈ શકે છે... કારણ કે પોલીસે સામેથી રક્ષણ માટે કાફલો મોકલ્યો હતો. જ્યારે એસપીએ કહ્યું હતું કે તમારા જીવને ખતરો હોય તો એસપી ઓફિસ આવી જાવ ત્યારે અરવિંદ પરમારે જ ના પાડી હતી. ખરેખર આ કેસમાં શું થયું હતું તેની તપાસ કરવું અમારું કામ નથી અમારું કામ છે તથ્યોને લોકો સામે મૂકવું એ અમે મૂક્યા છે હવે ખરેખરમાં શું થયું હતું તેમની હત્યા કરવામાં આવી હતી કે પરિવારના ઝઘડામાં દવા પીવડાવી દેવામાં આવી હતી કે દવા પી લીધી હતી તે જાણવું પોલીસનું કામ છે. જોઈએ શું થાય છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!