Dakor VIP Darshan : ટેમ્પલ કમિટી, હિંદુ સંગઠનો વચ્ચેની થયેલી બેઠક નિષ્ફળ નિવડી, નિર્ણય યથાવત રહેશે


  • Published By :
  • Published Date : 2023-09-01 17:13:41

ખેડા ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી દર્શનની શરૂઆત કરવામાં આવી છે. વીઆઈપી દર્શન માટે 500 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારથી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી વિવાદો છેડાઈ ગયા છે. આ નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ મામલો શાંત કરવા માટે ગુરૂવારના રોજ મંદિરના ટ્રસ્ટીઓ, સેવકો તેમજ આંદોલનકારીના અગ્રણીઓની વચ્ચે બેઠક થઈ હતી. અંદાજીત ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ડાકોરમાં વીઆઈપી કલ્ચર યથાવત રહેશે.    


નિર્ણય પરત લેવામાં આવે તેવી ભક્તોની છે માગ 

થોડા સમય પહેલા ડાકોર મંદિર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના નજીકથી દર્શન કરવા માટે 250 રૂપિયા અને 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક હિંદુ સંગઠનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. ભક્તોમાં પણ નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધના સૂર વધતા ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બેઠક બોલાવવામાં આવી હતી. 


બેઠક બાદ શું આવી પ્રતિક્રિયા?

વિરોધના સૂર વધારે વધતા મામલાને શાંત પાડવા માટે ગઈકાલે મંદિર ટ્રસ્ટના સેવક ટ્રસ્ટી, મેનેજર અને આંદોલનકારી આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કોઈ સમાધાન ન આવવાને કારણે હાલ જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જો તમારે ભગવાનના સન્મુખ રહી દર્શન કરવા હોય તો 500 રુપિયાનો ચાર્જ ચૂકવો પડશે. બેઠક બાદ મંદિરના મેનેજરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી. વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી. વીઆઈપી દર્શન નામ જ ખોટું થે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!