ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેના તાલે દાંડિયા રાસ રમતો યુવક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 18:33:02

આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક સમયે માત્ર આધેડ વયના લોકોને જ હ્રદય રોગના હુમલાથી મોત થતા હતા. જો કે હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. ગમે ત્યારે હાર્ટ એટેક આવતા એક હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ જાય છે. જેમ કે દાહોદના દેવગઢ બારિયામાં દાંડિયા રાસ રમતાં યુવકનું હાર્ટ એટેક આવતાં મોત નિપજતાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો. 


યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો?


દાહોદના દેવગઢ બારિયાના રમેશ વણઝારા ઈંટો-રેતી તેમજ જમીન લે-વેચનાવ વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. રમેશભાઈના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના સમયે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી ડીજેના તાલે રમેશભાઈ ઘરના એક સભ્ય સાથે દાંડિયા રાસ રમી રહ્યા હતા. તે દરમિયાન એકાએક રમેશભાઈ થાકી જતાં જમીન પર ઢીંચણના ટેકે બેસી ગયા હતા અને બાદમાં તેમનું મોત નિપજતાં પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. યુવકના મોતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.



હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તબીબોએ મૃત જાહેર કર્યા


રમેશભાઈ એકાએક જમીન પર ઢળી પડતા ઘરના અન્ય સભ્યો તરત જ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે રમેશભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.