રાણી એલિઝાબેથના નિધન પર મુંબઈના ડબ્બાવાલાઓએ શોક વ્યક્ત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:41:32

બ્રિટેનના મહારાણીના અવસાન બાદ અનેક દેશોના વડાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા એવા મુંબઈના ડબ્બાવાલાઓએ એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ડબ્બાવાળા અને રાજપરિવાર વચ્ચેનો સંબંધ

ગુરૂવારના દિવસે ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું. 96 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા વિશ્વભરમાં શોકની લાગણી જોવા મળી હતી. ત્યારે બ્રિટિશ રાજપરિવાર સાથે અનેરો સંબંધ ધરાવતા એવા મુંબઈ ડબ્બાવાળાઓ પણ શોકમાં ડુબી ગયા છે. એસોસિએશનના ચેરમેન સુભાષ તાલેકરે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારથી તેમની સાથે સંબંધની શરૂઆત થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તેઓ તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા.


ડબ્બાવાળાઓની આ શરતો માન્યા બાદ થઈ મુલાકાત 

આમ તો મોટા વ્યક્તિની શરતો પ્રમાણે મુલાકાત થતી હોય છે પરંતુ આ મુલાકાતમાં પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓના શરતોને આધીન મુલાકાત કરી હતી. પહેલી શરત કે બધાને ટિફિન પહોંચાડ્યા બાદ બચેલા સમયમાં પ્રિન્સ સાથે મુલાકાત કરશે. ઉપરાંત પ્રિન્સ પોતે તેમને મળવા આવે. આ બન્ને શરતો માની પ્રિન્સે તેમની સાથે મુલાકાત કરી હતી અને કઈ રીતે આટલું મોટું નેટવર્ક ચલાવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલાના લગ્નમાં ડબ્બાવાળાઓએ આપી હાજરી 

ડબ્બાવાળાઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ પ્રિન્સ ચાર્લ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પોતાના લગ્નમાં ડબ્બાવાળાઓને નિમંત્રણ પાઠવ્યું હતું, તેમના લગ્નમાં 2 લોકોએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજવી પરિવારના પદ્મિની દેવી તેમજ ડબ્બાવાળાઓએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો. ઉપરાંત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન વખતે ડબ્બાવાળાઓએ પ્રિન્સને કુર્તો,પાયજામો અને મહારાષ્ટ્રીયન પાઘડી ભેટ આપી હતી. તેમજ મર્કેલને હાથની બનેલી સાડી ભેટમાં આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે