કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ત્રાટકશે ચક્રવાત! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-02 16:22:27

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં ભલે હાલ ચોમાસુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 6થી 9 જૂનમાં ચક્રવાત ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


ચક્રવાતને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ચક્રવાત સક્રિય થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂક્કું રહેશે. આજ સાંજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. 

  

આ જગ્યાઓ પર વરસશે વરસાદ!

આગાહી મુજબ 2 અને 3 જૂને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. ત્રણ જૂનના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં 4 જૂને વરસાદ વરસી શકે છે. જ્યારે પાંચ જૂને પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મહત્વનું થે કે આ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.