આગામી દિવસોમાં Gujaratમાં આવશે આંધી-વંટોળ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી? ક્યાં કેટલું નોંધાયું તાપમાન જાણો...


  • Published By :
  • Published Date : 2024-05-31 11:38:38

ગરમીથી થોડા દિવસોની અંદર છૂટકારો મળી શકે છે.. કારણ કે કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે.. કેરળમાં મોનસુન પ્રવેશી ગયું છે એટલે થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ જશે.. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં આના કરતા વધારે ગરમીનો પારો ઘટશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. પરંતુ અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું અથવા તો તેનાથી નીચે નોંધાયું છે... 


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.. આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક જગ્યાઓનું તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાતું હતું પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે.. ગુરૂવારે સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયું હતું અને તે હતું 43.7 ડિગ્રી. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા, પાટણ  અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં વંટોળ આવી શકે છે.. ભારે પવન ફૂંકાવવાની સંભાવનાઓ રહેલી છે.. 


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 42.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.3 જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.. કંડલા એરપોર્ટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.1, ભાવનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું.. સુરેન્દ્રનગરનું તાપમાન 43.7 ડિગ્રી જ્યારે કેશોદનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો..     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.