વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:22


વાવાઝોડું ‘સિતરંગ’ પડોશી દેશ બાંગ્લાદેશમાં કહેર બનીને ત્રાટક્યા બાદ હવે ભારતમાં  એન્ટ્રી કરી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે  બાંગ્લાદેશમાં લગભગ 24 લોકોના મોત થયા છે તથા અનેક સ્થાનોએ ભયંકર વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે હજારો ઘરો તણાઈ ગયા હતા. વિનાશકારી ચક્રવાતના કારણે ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થયો છે. તોફાન અને વરસાદથી આસામના 80થી વધુ ગામો પર અસર થઈ છે. હવામાન વિભાગે પૂર્વોત્તરના ચાર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તે ઉપરાંત  બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.


‘સિતરંગ’ ચક્રવાતે બાંગ્લાદેશમાં ભારે વિનાસ સર્જ્યો 


આ ખતરનાક વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. તે પછી ભારે વરસાદ અને સુસવાટા મારતા પવને સર્વત્ર વિનાશ વેર્યો છે. બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં સર્વત્ર વિનાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દેશભરમાં 10 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે.જ્યારે 6 હજાર હેક્ટરથી વધુનો કૃષિ પાક નાશ પામ્યો છે, હજારો માછીમારી પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને 24થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ 20 હજારથી વધુ બાંગ્લાદેશીઓ આ તોફાનના જોખમમાં છે. અહીંના દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલ જિલ્લામાં જાન-માલની વધુ નુકસાનની શક્યતા છે.



ભારત પર પણ તોળાઈ રહ્યો છે ખતરો


બાંગ્લાદેશ ભારતમાં પણ આ ખતરનાક વાવાઝોડું ભારે વિનાસ સર્જે તેવું માનવામાં આવી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યો આ વિનાશકારી વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ તોફાન તબાહી મચાવી શકે છે. સિતરંગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, જેથી અનેક લોકો લોકો બેઘર થયા છે. તે ઉપરાંત બિહારમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.