વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:22


વાવાઝોડું ‘સિતરંગ’ પડોશી દેશ બાંગ્લાદેશમાં કહેર બનીને ત્રાટક્યા બાદ હવે ભારતમાં  એન્ટ્રી કરી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે  બાંગ્લાદેશમાં લગભગ 24 લોકોના મોત થયા છે તથા અનેક સ્થાનોએ ભયંકર વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે હજારો ઘરો તણાઈ ગયા હતા. વિનાશકારી ચક્રવાતના કારણે ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થયો છે. તોફાન અને વરસાદથી આસામના 80થી વધુ ગામો પર અસર થઈ છે. હવામાન વિભાગે પૂર્વોત્તરના ચાર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તે ઉપરાંત  બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.


‘સિતરંગ’ ચક્રવાતે બાંગ્લાદેશમાં ભારે વિનાસ સર્જ્યો 


આ ખતરનાક વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. તે પછી ભારે વરસાદ અને સુસવાટા મારતા પવને સર્વત્ર વિનાશ વેર્યો છે. બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં સર્વત્ર વિનાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દેશભરમાં 10 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે.જ્યારે 6 હજાર હેક્ટરથી વધુનો કૃષિ પાક નાશ પામ્યો છે, હજારો માછીમારી પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને 24થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ 20 હજારથી વધુ બાંગ્લાદેશીઓ આ તોફાનના જોખમમાં છે. અહીંના દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલ જિલ્લામાં જાન-માલની વધુ નુકસાનની શક્યતા છે.



ભારત પર પણ તોળાઈ રહ્યો છે ખતરો


બાંગ્લાદેશ ભારતમાં પણ આ ખતરનાક વાવાઝોડું ભારે વિનાસ સર્જે તેવું માનવામાં આવી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યો આ વિનાશકારી વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ તોફાન તબાહી મચાવી શકે છે. સિતરંગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, જેથી અનેક લોકો લોકો બેઘર થયા છે. તે ઉપરાંત બિહારમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.