Cyclone Michaungને લઈ દેશના અનેક રાજ્યો માટે જાહેર કરાયું Alert, નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે ચક્રવાત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 09:22:49

મોસમ શિયાળાની છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ચક્રવાત મિચોંગને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે. ચક્રવાતને કારણે ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે ચક્રવાત મિચોંગ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે.

 

ચક્રવાતને લઈ દેશના અનેક રાજ્યોમાં એલર્ટ કરાયું જાહેર

દેશનું વાતાવરણ દિવસેને દિવસે પલટાઈ રહ્યું છે. વરસાદ ગમે ત્યારે વરસી શકે છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જોઈએ તેવો વરસાદ નથી આવતો પરંતુ શિયાળામાં અથવા તો ઉનાળામાં કમોસમી વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યારે દેશના અનેક રાજ્યો પર ચક્રવાત મિચોંગનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદ ખૂબ વધારે તેજ બન્યો છે. દિલ્હીથી લઈ તમિલનાડુ સુધી વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મિચોંગને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર છે.    

અનેક ટ્રેનો કરાઈ રદ્દ!

ચક્રવાતને લઈ હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત મિચોંગને કારણે દેશના ત્રણ રાજ્યો પર સંકટ વધ્યું છે. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત મિચોંગ આજે એટલે કે 5 ડિસેમ્બરે નેલ્લોર અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ટકરાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ ચક્રવાતને કારણે તમિલનાડુની અનેક શાળામાં રજા જાહેર કરવામાં આવી, ચેન્નાઈ જતી ફ્લાઈટ તેમજ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

મધ્યમથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે વ્યક્ત 

પૂર્વ તેલંગાણા તેમજ ઓડિશાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ ચક્રવાતની અસર તમિલનાડુ, કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગો તેમજ દક્ષિણ ઝારખંડના અનેક ભાગો પર થઈ શકે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.