બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી તબાહી! જાણો બિપોરજોયને કારણે ક્યાં અને કેટલું થયું નુકસાન?


  • Published By :
  • Published Date : 2023-06-16 09:41:21

બિપોરજોય નામના વાવઝોડાનું સંકટ ગુજરાત પર તોળાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક સ્થળોથી વિનાશના દ્રશ્યો સામે  આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક વીજપોલો તૂટી પડ્યા હતા. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લેન્ડફોલ થયાં બાદ દરિયાકાંઠાની પરિસ્થિતિ અત્યંત ભયાનક જોવા મળી હતી. પોરબંદર, દ્વારકા તેમજ જખૌમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

         

કચ્છમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ!

ગુજરાત પર બિપોરજોયનું સંકટ તોળાઈ રહ્યું હતું. ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે માત્ર આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 મિમી વરસાદ વરસ્યો હતો. તે સિવાય અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં માત્ર થોડા સમયમાં જ ઘણો વરસાદ વરસી ગયો હતો.      

આટલા વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી!

વાવાઝોડું પસાર થયું તે બાદ બિપોરજોયે કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. નિવદેન આપતા તેમણે જણાવ્યું કે વાવાઝોડાને કારણે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી પણ વાવાઝોડાને લઈ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરવાના છે. મહત્વનું છે વાવાઝોડાને કારણે કેટલો વિનાશ થયો તે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.