બિપોરજોય વાવાઝોડું હવે સાંજે નહીં પણ રાત્રે કરશે એટેક, રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-06-15 14:07:40

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને રાત સુધીમાં જખૌ બંદર નજીકના દરિયાકાંઠે અથડાશે. જખૌ બંદર પર હિટ કરતા પહેલા તે થોડું નબળું પડી ગયું હશે, પરંતુ તે હજુ પણ વિનાશ વેરવાની ક્ષમતા યથાવત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બુધવારે ભારે પવન અને ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ અને 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે 145 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી વધી શકે છે. હવામાન અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઈ શકે છે. 


વાવાઝોડું રાત્રે કરશે એટેક 


ઝંઝાવાતી વાવાઝોડું બિપરજોય વાવાઝોડું રાત્રે લગભગ 9.30 વાગ્યે ગુજરાતના જખૌ પોર્ટથી ટકરાઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સમુદ્ર તટથી ટકરાશે. વળી તેના માર્ગમાં પણ થોડો ફેરફાર થયો છે. તેનો રૂટ પણ કરાચી તરફ વળી ગયો છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી જાણકારી આપી છે. પવનની દિશા અને ગતિ પ્રમાણે વાવાઝોડાના સમયમાં પણ ફેરફાર થતો હોવાનું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હાલ વાવાઝોડું 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 


અમદાવાદ ફાયરની 4 ટીમ કચ્છ પહોંચી


સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.