બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે દ્વારકામાં જગત મંદિરનાં શિખર પર અડધી પાટલીએ ધજા ફરકાવાઈ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-11 19:52:54

'બિપોરજોય વાવાઝોડું' સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું દ્વારકા અને પોરબંદર સહિતના ગુજરાતના દરિયા કાંઠાને ઘમરોળે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક તરફ કોસ્ટ જિલ્લાના કલેક્ટરો દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ દ્વારકા સ્થિત જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરુપે મંદિર પર અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી છે. હકીકતમાં દ્વારકા મંદિર શિખર પર દરરોજ 5 વખત 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. આજે બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતાને જોતા દ્વારકાધીશ મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરના શિખર પર અડધી કાઠીએ ધજા ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


150 ફૂટ ઊંચા શિખર ધ્વજારોહણ


અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડી હોય છે, પરંતુ દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનું કામ કરે છે. તેઓ જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર જાતે ચડીને ધજા ફરકાવે છે. ખાસ કરીને ચોમાસા અને વાવાઝોડા દરમિયાન તોફાની પવન હોય, ત્યારે મંદિરના શિખર પર ધજા ચડાવવાનું કામ જોખમી થઈ જાય છે. જો કે આવા કપરા સમયે પણ અબોટી બ્રાહ્મણ ધજા ચડાવવાનું ચૂકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કે, અગાઉ તૌકતે વાવાઝોડા સમયે તેમજ ગત વર્ષે જુલાઈ મહિનામાં મેઘ તાંડવ સમયે પણ દ્વારકાના જગત મંદિરમાં ધજા અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.


શા માટે અડધી પાટલીએ ધજા ચઢાવાય છે?


દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતાં એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસમાં પાંચ વખત ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લપસી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.