બિપોરજોય વાવાઝોડા અંગે સરકાર સતર્ક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની અમિત શાહે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-13 18:29:46

બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગોની સાથે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક યોજાઈ હતી. જે દરમિયાન અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાથી વધુની 3 મુખ્ય યોજનાની જાહેરાત કરી છે. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે- છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ક્ષેત્રમાંથી ઘણી સફળતા મેળવી છે અને નવી કુદરતી હોનારતોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે હોનારતોનું સ્વરુપ પણ બદલાયું છે અને તેનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ પણ કરી છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 3 યોજનાઓ


અમિત શાહે રાજ્યો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડ રુપિયાની ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 5000 કરોડ રુપિયા રાજ્યોના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને ફાયર સર્વિસને આધુનિકૃત કરવા માટે આપ્યા છે. 2500 કરોડ રુપિયા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે જેવા મેટ્રો સિટીમાં પૂરથી બચવાની વ્યવસ્થા કરવા માટે આપવામાં આવ્યા છે. તો 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેન્ડસ્લાઈડનો સામનો કરવા માટે નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક મિટિગેશન સ્કીમ માટે 825 કરોડ રુપિયાની જાહેરાત કરાઈ છે.


હોનારતોનું પ્રમાણ વધ્યું


અમિત શાહે વધુમાં કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં આ ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેને કોઈ નકારી ન શકે પરંતુ અમે સંતુષ્ટ થઈને ન કહી શકીએ કેમ કે હોનારતોએ પોતાનું સ્વરુપ પણ બદલ્યું છે. તેમણે કહ્યું કે સંકટની આવૃતિ અને તીવ્રતા વધી છે, તો અમે અમારી તૈયારીઓને તેની સાથે વધુ વ્યાપક કરવી પડશે. નવા ક્ષેત્રોમાં પણ અનેક જગ્યાઓએ અલગ અલગ પ્રકારની કુદરતી હોનારતોનું અનુભવ જોવા મળી રહ્યો છે. પૂરના નવા ક્ષેત્ર વધી રહ્યાં છે. અનેક નવા સ્થાનો પર પણ ગરમીની લૂ સહન કરવી પડી રહી છે અને હવે આ બધાનો સામનો કરવા માટે અમે તૈયારીઓ કરી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!