વાવાઝોડું 10થી 12 કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધ્યું, અમદાવાદમાં વરસાદની શક્યતા: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-06-13 17:39:08


વિનાશક વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ પોર્ટ અને માંડવી વચ્ચેથી પસાર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે તો વિનાશ વેરી શકે છે. જેને લઇને વાવાઝોડાની હિલચાલ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. આજે 13 જૂનના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં 10થી 12  કિ.મી.ની ઝડપે બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકાથી 310 કિ.મી. અને જખૌથી 310 કિ.મી. દૂર છે. વાવાઝોડાની અસર દરિયામાં દેખાઈ રહી છે. દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.


વાવાઝોડાની ઝડપ 10થી 12 કિ.મી.  પ્રતિ કલાક


બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવું અનુમાન છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. 


વાવાઝોડાના જોખમને ટાળી શકાય નહીં


જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.


અમદાવાદમાં વરસાદની આશંકા


શહેરમાં બિપરજોયની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આજે મંગળવારે ઠેર ઠેર સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને આની સાથે જ મોડી સાંજથી રાત સુધીમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ શહેરમાં હ્યુમીડિટી વધારે હોવાનું જણાવ્યું છે. આની સાથે બફારો વધારે હશે એમ પણ સૂચવ્યું છે. આગામી 4થી 5 દિવસ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે એવા સંકેતો મળી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.