બિપોરજોયના સામના માટે સુરક્ષાદળો સુસજ્જ, જાણો એરફોર્સ અને નેવીની શું છે તૈયારીઓ?


  • Published By :
  • Published Date : 2023-06-15 16:28:48

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આ જ રાત સુધી કચ્છના જખૌ બંદર પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે નુકાસાનની આશંકા વ્યક્ત કરી છે. આ જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જ કારણે કોઈ પણ સ્થીતીને પહોંચી વળવા માટે  NDRFની અનેક ટીમે તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના વિંગ કમાન્ડર એન.મનીષનું કહેવું છે કે ગુજરાત ઉપરાંત અનેક જગ્યા પર રાહતકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ત્રણેય સેનાઓ સુસજ્જ


ભયાનક વાવાઝોડામાંથી લોકોને બચાવવામાં આર્મી, એરફોર્સ અને નેવી તથા કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. એરફોર્સે NDRFના જવાનો સાથે મળી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તે જ પ્રકારે ઈન્ડિયન નેવીએ પણ 4 જહાજોને તૈનાત કર્યા છે. સુચના મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જશે. નેવીએ પોરબંદર અને ઓખામાં પાંચ રાહત દળ, વાલસુરામાં 15 રાહત દળ તૈનાત કર્યા છે. તે જ ઉપરાંત ગોવામાં આઈએનએસ  હંસા અને મુંબઈમાં આઈએનએસ શિકરામાં તૈનાત હેલિકોપ્ટર ગુજરાતમાં તાત્કાલિક લોકોને પરિવહન સેવા આપવાના કાર્યમાં લાગી જશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.