બિપોરજોય વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત, કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે


  • Published By :
  • Published Date : 2023-06-12 14:21:52

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પગલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. દરિયા વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈને તમામ ગતિવિધિઓ ઉપર રાજ્ય સરકાર બાજ નજર રાખી રહી છે. વાવાઝોડાની ભયાનક્તા જોતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.


28 ગામો પર વાવાઝોડાનો ખતરો


વલસાડ જિલ્લાના 28 ગામો પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્ર કિનારાના  28 ગામોમાં  મરીન કમાન્ડોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે. વલસાડના તિથલ બિચ પર પણ મરિન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.


મંત્રી કનુભાઈ દેસાઈ રાખી રહ્યા છે નજર


વલસાડ જિલ્લા બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના સુપ્રસિધ્ધ તિથલ બીચની મુલાકાત લીધી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.