બિપોરજોય ઈફેક્ટ: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓમાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ


  • Published By :
  • Published Date : 2023-06-15 21:52:20

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે રાજ્યની અનેક શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલ એટલે કે (16/6/2023)ના રોજ બંધ રાખવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.


આ જિલ્લામાં શાળાઓ રહેશે બંધ


બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, વડોદરા, ગીર સોમનાથ, પાટણ, જામનગર, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, નવસારી, ગાંધીનગર, ખેડા અને આણંદમાં આવતી કાલે (16/6/2023)ના શુક્રવારના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.