ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર ગુના 25 ટકા વધ્યા, સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-03-27 16:20:44

રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. જો કે હવે તો મહિલાઓ સાથે પણ સાયબર ક્રાઈમના કેસ વધ્યા છે. લોકસભામાં આ અંગે સરકારે જાણકારી આપી હતી, સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2019ની તુલનામાં હાલ ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમ રેટ 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 


રાજ્યમાં મહિલાઓ સામે ગુના વધ્યા


કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 2019માં દેશમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના કેસ 8415 નોંધાયા હતા. જે વર્ષ 2020માં 10405 અને વર્ષ 2021માં તે 10730 નોંધાયા છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ મહિલા સાથે સાયબર ગુના 25 ટકા ગુના વધ્યા છે. 


ગુજરાતમાં શું સ્થિતી છે?


સરકારે આપેલી જાણકારી મુજબ ગુજરાતમાં મહિલાઓ સામે વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં તે 277 કેસ હતા. જે 2021માં વધીને 349 કેસ થઈ ગયા છે.ત્રણ વર્ષમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમના કુલ 852 કેસ નોંધાયા છે. જેમાં 836ની વ્યક્તિઓની ધરપકડ થઈ છે. સાયબર ગુનાને લઈ માત્ર એક વ્યક્તિને વર્ષ 2021માં સજા મળી છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.